અમેરિકામાં ફસાયેલા ભારતીયો સ્વદેશ પરત ફરશે

કોરોના મહામારીના કારણે દુનિયાભરમાં લાખો ભારતીય ફસાયા છે તેમના પરિવાજનો માંગ કરી રહ્યાં છે કે જલ્દીથી વતન પરત લાવો. ભારત સરકારે પહેલ કરીને અમેરિકા સ્થિત ભારતીય એમ્બેસીને અમેરિકામાં ફસાયેલા લોકોને પરત લાવવા માટેની તૈયારીઓ શરુ કરી છે દુતાવાસ સાથે વાટાઘાટો શરુ કરીને કેવી રીતે પરત લાવવા તેની યોજના બનાવી રહી છે. આ માટે વિદેશ મંત્રાલયની બેઠકો પણ મળી ગઈ છે. ભારત સરકારે થોડા દિવસ પહેલા સંકેત આપ્યા બાદ લેવામાં આવ્યું છે. ભારત સરકારે સંકેત આપ્યો હતો કે પરિસ્થિતિનું આકલન કર્યા બાદ વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરીકોને પરત લાવવા માટે નિર્ણય લેવાશે. સરકારે ૧૦ એપ્રિલના રોજ કહ્યું હતું કે, કોરોના વાયરસની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાનો નિર્ણય લેવાયો હતો. જો કે પરત લાવતી વખતે તેમના સ્કેનિગ અને સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તેનો પણ ખ્યાલ રાખવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *