છોટી સી બાત’, ‘રજનીગંધા’ જેવી ફિલ્મ આપનાર વરિષ્ઠ ફિલ્મ ડિરેક્ટર તથા રાઈટર બાસુ ચેટર્જીનું ગુરુવારે નિધન થયું હતું. તેઓ 90 વર્ષના હતાં. તેમના અંતિમ સંસ્કાર શુક્રવારે બપોરે સાંતાક્રૂઝ સ્મશાન ઘાટ ખાતે કરાયાં હતાં. જો કે મુંબઈમાં કોરોનાવાઈરસને કારણે માત્ર દસ લોકો જ હાજર રહયાં હતાં. મુંબઈમાં વરસાદ હોવાને કારણે બંને દીકરીઓ (સોનાલી ભટ્ટાચાર્ય તથા રૂપાલી ગુહા) તથા બંને જમાઈ હાજર રહ્યાં હતાં. તે ત્યાં હતાં, કારણ કે તે બાસુ દાની અંતિમ સફરમાં જોડાવા ઈચ્છતા હતાં. બાસુ ચેટર્જીનું ઊંઘમાં જ નિધન થયું હતું. ઉંમર વધારે હોવાને કારણે તેઓ છેલ્લાં કેટલાંક સમયથી બીમાર હતાં. તેમના અવસાનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મોટી ખોટ પડી છે. સોશિયલ મીડિયામાં અમિતાભ બચ્ચન, શબાના આઝમી, મધુર ભંડારકર, અનુરાગ કશ્યપ, મનોજ જોષી સહિતના સેલેબ્સે બાસુ દાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બાસુ ચેટર્જીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.