કાશ્મીર પર સરકારનો મોટો નિર્ણય10 હજાર સૈનિકો હવે પરત

કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાં મહત્વનો નિર્ણય લીધો છે. બુધવારે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાંથી તાત્કાલિક 10 હજાર અર્ધસૈનિક જવાન પરત બોલાવવાનો નિર્ણય કર્યો છે. ગૃહ મંત્રાલયે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF)ની જમ્મુ-કાશ્મીરમાં તહેનાતીને લઈને સમીક્ષા કરી હતી, ત્યાર પછી આ નિર્ણય લેવાયો છે. કેન્દ્રના વર્તમાન આદેશ પછી જમ્મુ-કાશ્મીરમાં CRPFની 60 બટાલિયન રહેશે. એક બટાલિયનમાં એક હજાર જવાન હોય છે. CAPFની અમુક યૂનિટ્સ ઘાટીમાં તહેનાત રહેશે .કેન્દ્રના નિર્દેશ મુજબ CRPFની 40 કંપનીઓ, CISFની 20 કંપનીઓ, બોર્ડર સિક્યોરિટી ફોર્સ અને સશસ્ત્ર સીમા દળને આ સપ્તાહે જમ્મુ-કાશ્મીરમાંથી બહાર મોકલાશે. CIAFની એ કંપનીમાં 100 જવાન હોય છે. આ પહેલા ગૃહ મંત્રાલયે મે 2020માં CAPFની 10 કંપનીઓને જમ્મુ-કાશ્મીરમાંથી હટાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *