ગાંધીનગરના રાયપૂરમાં ધાર્મિક કાર્યક્રમ બદલ 45 સામે કેસ

એક તરફ રાજયમાં કોરોનાના કેસ 14 હજાર પર પહોચી ગયા છે તો બીજી તરફ હજુ પણ કોરોનાની ગાઈડ લાઈનનુ લોકો પાલન કરી રહ્યાં નથી તાજેતરમાં સાંણદમાં મોટા ધાર્મિક કાર્યક્રમ યોજવા બદલ 28ની ધરપકડ કરાઈ હતી તો ફરી વાર હવે ગાંઘીનગરના રાયપુરમાં આવો જ કાર્યક્મ યોજયો હતો જેને લઈને ગાંધીનગર પોલીસે જાહેરનામા ભગ બદ્લ 50 લોકો સામે નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે. રાયપુર ગામમમાં 4 મેનાં રોજ બળિયાદેવ મહારાજ નાં મંદીર ખાતે ગામનાં લોકોની ભીડ ઉમટી હતી. ગામ લોકો મોટી સંખ્યામાં વાજતે ગાજતે બળિયા બાપાના મંદિર પહોચ્યા હતા જયા સોશ્યિલ ડિસ્ટન્સનુ કોઈ પાલન કરાયુ નહોતુ અને આ કાર્યક્રમ યોજતા પહેલા પોલીસની કોઈ મંજુરી પણ લીધી નહોતી. હાલમા પોલીસે બહાર આવેલા વીડીયોના આધારે લોકોને શોધવાનુ કામ શરુ કર્યુ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *