છેલ્લા 24 કલાકમાં 63 હજારથી વધુ ટેસ્ટ, 1,145 નવા દર્દી નોધાયા

રાજ્યમાં હવે કોરોનાના કેસ પ્રતિદિન 1100 નોધાઈ રહ્યાં છે. જો કે મોતની સંખ્યા ઘટી રહી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 1,145 કેસ નોંધાયા છે અને 17 દર્દીના મોત થયા છે. જ્યારે 1120 દર્દી સાજા થયા છે. બુધવારે રાજ્યમાં સૌથી વધુ 63 હજાર 31 ટેસ્ટ કરાયા છે આ પહેલા 30 હજારની આસપાસ ટેસ્ટ થતાં હતા. અત્યાર સુધીમાં કુલ 14 લાખ 78 હજાર 629 ટેસ્ટ થયા છે. જેમાંથી કુલ 82,087 કેસ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 64,830 દર્દી સાજા થતા તેઓને રજા આપી દેવાઈ છે અને મૃત્યુઆંક 2839 થયો છે. હાલમાં કુલ 14,418 એક્ટિવ કેસ છે, જેમાંથી 81 દર્દી વેન્ટિલેટર પર છે અને 14,337ની હાલત સ્થિર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *