તેલંગાણા એન્કાઉન્ટરમાં 4 આરોપીઓનું ફરી PM થશે

હૈદરાબાદના 4 આરોપીનુ ફરી વાર થશે પોસ્ટમોર્ટમ

સમગ્ર દેશમાં ચકચારી તેલગાણા એન્કાઉન્ટરની તપાસમાં હવે નવો વળાંક આવ્યો છે તેલગાણા હાઇકોર્ટે હૈદરાબાદ એન્કાઉન્ટરમાં મોતને ભેટેલા દુષ્કર્મ અને હત્યાના ચારેય આરોપીઓનું ફરી પોસ્ટમોર્ટમ કરવાના આદેશ આપ્યા છે. તેલગાણા હાીકોર્ટે એ પણ આદેશ આપ્યો છે કે રાજ્ય સરકાર તેના માટે દિલ્હી એમ્સને એક મેડિકલ બોર્ડ બનાવવાની અપીલ કરે જેમાં ત્રણ ફોરેન્સિક એક્સપર્ટ્સ સામેલ હોય. આ પહેલા પણ નામદાર સુપ્રીમ કોર્ટે હૈદરાબાદના એન્કાઉન્ટરની તપાસ માટે સીટની રચના કરીને 4 આરોપીની ડેડ બોડીને સુરક્ષિત રાખવાનો આદેશ આપ્યો હતો.

હેદરાબાદમા 4 આરોપીઓએ એક વેટરનરી ડોક્ટર સાથે હેવાનિયત આચરીને તેને સળગાવી નાખી હતી. ત્યારબાદ સાઇબરાબાદ પોલીસ તપાસના કામે જેલમાંથી કબજો લઈને 6 ડિસેમ્બરે 4આરોપીઓને ઘટનાસ્થળે લઇ ગઇ હતી. તપાસ ચાલતી હતી ત્યારે આરોપી મોહમ્મદ આરિફ, જોલૂ શિવા, જોલૂ નવીન અને ચિંતાકુંટા ચેન્નાકેશવુલુએ પોલીસ જવાનોના હથિયાર છિનવીને ભાગવાની કોશિષ કરી હતી આ સમયે પોલીસે કરેલા એન્કાઉન્ટરમાં ચારેયને ઠાર મરાયા હતા.

સુપ્રીમ કોર્ટે તપાસ માટે આયોગ બનાવ્યું
એક સાથે 4 આરોપીનું એન્કાઉન્ટર થઈ જતા જવાબદાર પોલીસ અધિકારીઓ પર અનેક સવાલો ઉઠયા હતા. એક તરફ કેટલાંક લોકો આ પગલાને ન્યાય ગણાવતા હતા તો કેટલાંક કાયદાનુ વિરુધ્ધમાં. 7 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટમાં એન્કાઉન્ટરમાં સામેલ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ FIR, તપાસ અને કાર્યવાહીની માંગ કરતી અરજી કરાતા 12 ડિસેમ્બરે આ મામલાની સુનાવણી થઈ ગઈ અને 3 સભ્યોની એક સીટની રચના કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *