દેશભરમાં તમામ શિવ મંદિરમાં સોમનાથ મહાદેવનુ વિશેષ મહત્વ છે. ખાસ કરીને શ્રાવણ મહિનામાં મોટી સંખ્યામાં ભકતો ઉમટી પડે છે. હવે સોમનાથ મંદિરમાં ભગવાન શિવ તો હાજરાહજુર છે પણ માતા પાર્વતીજીનુ મંદિર પણ કરોડોના ખર્ચે બનવા જઈ રહ્યુ છે. આ વખતે કોરોનાના કારણે શ્રદ્ધાળુઓ માટે ખાસ ગાઈડ લાઈન તૈયાર કરાઈ છે. તહેવારમાં સોમનાથ મંદિરમાં સોશ્યલ ડિસ્ટન્સીંગ જળવાઇ રહે અને કોરોનાનો ફેલાવો ન થાય એ માટે સોમનાથ ટ્રસ્ટ, પોલીસ અને એસઆરપીના અધિકારીઓ ખાસ તકેદારી રાખી રહ્યાછે તમામ દર્શનાર્થીઓ માટે માસ્ક ફરજિયાત બનાવાયા છે. મંદિરના તમામ સુરક્ષાકર્મીઓ અને સ્ટાફ માટે પણ માસ્ક ફરજિયાત બનાવાયો છે.