ભાવનગરઃ પાલિતાણા પંથકના એક ગામડામાં રહેતી સગીરાને રાત્રે ઘેનની ટીકડી આપી પાલિતાણાના ભુતીયા ગામના શખ્સે દુષ્કર્મ આચર્યાની તથા તેણી પર એક વર્ષથી વારંવાર અલગ અલગ લોકો દુષ્કર્મ આચરતા હોવાની ફરિયાદ કરવામાં આવી છે. હાલ આ સગીરાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પાલિતાણા રૂલરમાં આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેસની જાણ થતા જ પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
પોલીસનું ફરિયાદ ન મળી હોવાનું રટણ
પાલિતાણા પંથકના એક ગામડામાં રહેતી એક માત્ર 12 વર્ષની સગીરાને બે દિવસ પૂર્વે પાલિતાણાના ભુતીયા ગામે રહેતા શાંતિ હરજીભાઈ ધંધુકીયા નામના ઘેનની ટીકડીઓ ખાઈ તેણી પર દુષ્કર્મ આચર્યું હતું. તેમજ છેલ્લા એક વર્ષથી અલગ અલગ લોકોએ પણ તેણી પર દુષ્કર્મ આચર્યાનું તથા તેમાં મહિલાઓ પણ સામેલ હોવાનું જણાવતી ફરિયાદ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ બાળા અને તેના પિતાએ નોંધાવતા પોલીસે આ ફરિયાદ પાલિતાણા રૂલર પોલીસને મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે પાલિતાણા રૂલર પોલીસમાં હજુ સુધી આ અંગે ફરિયાદ મળી નહીં હોવાનું ફરજ પરના RSOએ ઝણાવ્યું હતું.