દેશભરમાં ફરજ દરમ્યાન શહીદ થયેલા પોલીસ કર્મી અને જવાનોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી. ગુજરાતમાં ગાંધીનગર નજીક કરાઈ એકેડેમીમાં ગૃહરાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા અને રાજ્ય ના ડી.જી.પી. આશિષ ભાટિયાએ શ્રધ્ધાંજલિ અપાઈ. ગુજરાત પોલીસ એકેડેમી કરાઈ ખાતે પોલીસ સંભારણા દિવસ નિમિતે નાગરિકો ની સેવા અને સુરક્ષા માટે ફરજ દરમ્યાન શહીદ થયેલા પોલીસ કર્મચારીઓ ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. દર વરસે શહીદ થયેલા કર્મીઓને ભાવાંજલિ આપવામાં આવે છે. તાજેતરમાં ગુજરાતમાં 6 થી વધુ પોલીસ કર્મી કોરોનાના કારણે અવસાન પામ્યાં હતા. તેમને પણ શ્રધ્ધાજલિ અપાઈ.