મુખ્યમંત્રી રુપાણીએ પણ ભુકંપની જાણકારી મેળવી

મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યમાં આવેલા ભૂકંપ ના આંચકાઓ ને પગલે રાજકોટ કચ્છ અને પાટણ જીલ્લા ના કલેકટરો સાથે ટેલિફોન તાત્કાલિક વાતચીત કરીને ત્યાંની પરિસ્થતિ ની જાણકારી મેળવી હતી. મુખ્ય મંત્રીશ્રી એ આજે રાત્રે 8ને 13 મિનિટે રાજ્યમાં ભૂકંપ ના આંચકાઓ આવ્યા અંગેની જાણકારી મળતાં તુરતજ આ જિલ્લા ના કલેકટરો ને સતર્ક રહેવા ની તાકીદ કરી હતી અને આ આંચકાઓ ને કારણે કોઈ નાનું મોટું નુક્સાન થયું હોય તેની વિગતો પણ મેળવવા સૂચનાઓ આપી હતી મુખ્યમંત્રીશ્રી એ આ જિલ્લાઓ માં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ ના કંટ્રોલ રૂમ પણ વધુ સઘન રીતે કાર્યરત કરી દેવા સૂચન કર્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *