મોરારિ બાપુની કોરોના વોરિયર્સનાં સ્મરણમાં રામકથા યોજાઈ

પૂજ્ય મોરારિ બાપુ દ્રારા અત્યાર સુધીમાં દેશ-વિદેશમાં અનેક રામકથા યોજાઈ છે પણ પ્રથમ વાર અનોખી ઓનલાઈન રામકથા ‘માનસ ગુરુવંદના’નો પ્રારંભ થયો હતો આ કથાનો હેતુ પણ કોરોના વાઈરસને લઈને હતો . કોરોના વાયરસમાં ગુજરાત સહિત દેશ અને સમગ્ર દુનિયામાં નિર્વાણ પામનારા લોકોનાં તથા જીવના જોખમે સેવામાં લાગેલા કોરોના વોરિયર્સનાં સ્મરણમાં આ કથા યોજાઈ હતી . આ 844મી રામકથા છે જે 14 જુન સુધી ચાલી હતી. પ્રથમ વાર યજમાન, શ્રોતા વગરની અનોખી ઓનલાઈન રામકથા તલગારડા ખાતેના ત્રિભુવન વડ ખાતેથી ભાવવાહી શૈલીથી શરુઆત થઈ હતી આ કથામાં પૂજ્ય મોરારિ બાપુએ જણાવ્યું હતુ કે ખુશ રહો બાપ! બધી વિષમ પરિસ્થિતિને પ્રભુનો પ્રસાદ માનીને સ્વીકાર કરો. દેશ-દુનિયામાં જ્યારે કોરોના વાયરસને પગલે ગંભીર સ્થિતિ જન્મી છે. ચિંતા-ભયનું વાતાવરણ છવાયેલું છે ત્યારે મને ગુરુ-પ્રેરણા પ્રાપ્ત થઈ છે કે હું કોરોનામાં નિર્વાણ પામનારા લોકો માટે તથા જીવનાં જોખમે કાર્યરત્ કોરોના વોરિયર્સ-સેવાકર્મીઓનાં સ્મરણમાં આ રામકથાનો સંવાદ શરૂ કરું. હું હનુમાનજીને પ્રાર્થના કરું છું કે હવે સૌ સુરક્ષિત રહે, ભગવાન સૌના ઉત્સાહમાં વધારો કરે અને સ્થિતિ સામાન્ય બને તથા સૌ તંદુરસ્ત રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *