રાધે’ની રિલીઝ પર કોરોનાનું સંકટ

સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડભાઈ’ની રિલીઝ ડેટ કોરોનાને કારણે ફરી એકવાર અટકી જશે. હાલમાં જ સલમાને એક ઈન્ટરવ્યૂમાં આ વાત કહી હતી. તેણે કહ્યું હતું કે જો લોકો સરકારે બનાવેલી ગાઈડલાઈનનું પાલન નથી કરતાં અને કોરોનાના કેસ રોજ વધતા જ જશે તો ‘રાધે’ આવતા વર્ષે ઈદ પર રિલીઝ કરવામાં આવશે. ‘અમે ઈચ્છીએ છીએ કે ‘રાધે’ આ વર્ષે ઈદ પર રિલીઝ થાય અને અમે પ્રયાસ કરીએ છીએ, પરંતુ લૉકડાઉન રહે છે તો અમે આવતા વર્ષે ઈદ પર રિલીઝ કરીશું. લૉકડાઉન ત્યારે જ પૂરું થશે, જ્યારે લોકો માસ્ક પહેરેશ, સો.ડિસ્ટન્સિંગનું પાલન કરશે અને ધ્યાન રાખશે. બહાર ના નીકળે અને સરકારી ગાઈડલાઈનનું પાલન કરશે. મને લાગે છે કે તો જ આ વાઈરસ જશે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *