લોકડાઉન જાહેર કર્યાથી અત્યાર સુધી સુરક્ષા દળોએ 27 જેટલા આતંકીઓનો સફાયો કરી નાંખ્યો છે.
લોકડાઉનની સ્થિતિમાં પણ ભારતીય જવાનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં એક પણ તક ચુકી નથી રહ્યાં અને ઈંટનો જવાબ પત્થરની આપી રહ્યાં છે. ભારતીય સેના કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાની સાથોસાથ લોકડાઉનની સ્થિતિ પર પણ નજર રાખી રહી છે. અત્યાર સુધીમાં સેનાએ 27 આતંકીઓનો સફાયો કરી નાખ્યો છે. ભારતીય સેનાના ઊચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ આતંકવાદથી પ્રભાવિત જમ્મુ-કાશ્મીરના તમામ વિસ્તારોમાં સુરક્ષા દળો એક પણ આતંકી પ્રવૃતિને સફળ બનાવવા નથી દેતી. એટલુ જ નહિ આતંકીઓનો જડબાતોડ જવાબથી સ્થાનિક લોકો પણ સેનાને સાથ આપી રહ્યાં છે. આવી સ્થિતિમાં મોટા ફેરફાર નોધાતા હવે હતાશ આતંકીઓ સ્થાનીક લોકોને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જો કે ભારતીય સેનાની સર્તકતાથી એક પણ બનાવ મોટો બની નથી રહ્યો. સેનાની હાજરીના પગલે જમ્મુ કાશ્મીરમાં શાંતિ જળવાઈ રહી છે અને રોજગાર ધંધા પણ ધમધમી રહ્યાં છે.