અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેમના પતિ રાજ કુંદ્રાએ શર્લિન ચોપડા વિરૂદ્ધ 50 કરોડ રૂપિયાની માનહાનિનો કેસ દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટીના વકીલ પ્રશાંત પાટિલે શર્લિન ચોપડાને નોટિસ મોકલી એક અઠવાડિયાની અંદર માફી માંગવાની વાત કરી છે. જો શર્લિન રાજ કુંદ્રા શિલ્પા શેટ્ટીની માફી નથી માંગતી તો 50 કરોડનો ડિફેમેશન સૂટ અને ક્રિમિનલ સૂટ રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી દ્વારા ફાઇલ કરાશે શર્લિન ચોપડાએ રાજ કુંદ્રા પર સેક્સુઅલ હેરેસમેન્ટ અને છેતરપિંડીનો આરોપ લગાવતા મીડિયા ચેનલને ઇન્ટરવ્યૂ આપ્યુ હતુ. નિવેદનમાં કહેવાયુ છે કે શર્લિને તેમના વિરૂદ્ધ ખરાબ ટિપ્પણી કરી છે. જેમાં કહેવાયુ છે કે “શર્લિન ચોપડા દ્વારા રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી કુંદ્રા વિરૂદ્ધ લગાવેલા તમામ આરોપ ખોટા, નિરાધાર અને વગર કોઇ પુરાવા વગરના છે. શર્લિન ચોપડાએ માત્ર બદનામ કરવા અને બળજબરી વસૂલી કરવાના અર્થથી આરોપ લગાવ્યા છે, શિલ્પા શેટ્ટી જેએલ સ્ટ્રીમ એપ મામલે ના તો જોડાયેલી છે અને ના તો દેખરેખ રાખી રહી છે. શર્લિન ચોપડા દ્વારા શિલ્પા શેટ્ટીના નામને ઉછાળવાનો અર્થ માત્ર વિવાદ ઉભો કરવા અને મીડિયા એટેંશન માટે છે.”