સોનુ સૂદે બુધવારકોવિડ 19ની વેક્સિન અપોલો હોસ્પિટલમાં લીધી હતી. તેણે ‘સંજીવનીઃ રસી જીવનની’ પ્રોગ્રામ લૉન્ચ કર્યો હતો. આ પ્રોગ્રામ હેઠળ સોનુ સૂદે લોકોને વેક્સિન લેવા માટે પ્રોત્સાહિત કરશે. હાલમાં દેશભરમાં વેક્સિન ડ્રાઈવને સ્પીડમાં બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સોનુ સૂદે કહ્યું હતું કે પંજાબના વિવિધ જિલ્લાઓ તથા ગામમાં લોકો વેક્સિન લે તે માટે ‘સંજીવની’ પ્રોગ્રામ લૉન્ચ કરવામાં આવ્યો છે. સોનુ સૂદે અમૃતસરમાં અપોલો હોસ્પિટલમાં કોવિડ 19ની વેક્સિનનો ફર્સ્ટ ડોઝ લીધો હતો. ‘સોનુ સૂદે કહ્યું હતું, ‘મને ગયા વર્ષનો સમય બરોબરનો યાદ છે. ગયા વર્ષે પરપ્રાંતીય શ્રમિકો પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. અમે લોકોને અપીલ કરતાં હતાં કે શાંતિ રાખો અને સલામત રહો. હવે આપણે કોવિડની વેક્સિન અંગે વાત કરી રહ્યાં છે. મહેરબાની કરીને કોવિડની વેક્સિન લો.’