નવુ વરસ 2020 અનેક અવસર અને આપત્તિઓને લઈને આવ્યું છે. તેમાંય અંફાન અને નિસર્ગ વાવાઝોડુ પુરુ થઈ ગયુ છે. જેમાં અનેક લોકો ભોગ બન્યા છે. આ સદીનું ચંદ્રગ્રહણ પણ આવી ગયુ છે 21 જૂને 2020નું પ્રથમ સૂર્યગ્રહણ થઈગયુ. . ચંદ્રગ્રહણ ભલે ભારતમાં દેખાયું ન હોય અને તેની અસર જોવા મળી ન હોય પણ સૂર્ય ગ્રહણ ભારતમાં જોવા મળ્યું હતું. જયોતિષીઓના મતે ખાસ કરીને સૂર્યગ્રહણની અશુભ અસરો 8 રાશિઓ ઉપર વિશેષ પડવાનું જણાવ્યું હતુ. જેમાં 4 રાશિના લોકોને ગ્રહણની ખાસ અસરો નહી હોવાની વાત કહી હતી. સૂર્ય ગ્રહણને લઈને અનેક માન્યતા છે જેમાં વિપરિત અસરોમાં કુદરતી આપત્તિઓ વધુ આવી શકે છે. સૂર્ય ગ્રહણકાળ સવારે 10.31 થી બપોરે 2.04 સુધી જોવા મળ્યું હતું.