ગુજરાતમાં ફરીથી લોકડાઉન લાગુ થવાનીમાત્ર અફવા- સીએમ રૂપાણી

ગુજરાતમાં ફરીથી લોકડાઉન લાગુ થવાના ફરી રહેલા મેસેજ અંગે મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી એ સ્પષ્ટ પણે જણાવ્યું છે કે રાજ્યમાં ફરીથી લોક ડાઉન લાગુ કરાશે એવી સોશીયલ મીડિયા માં અને લોકોમાં જે વાતો ચાલે છે તે માત્ર એક અફવા જ છે. રાજ્ય સરકાર લોક ડાઉન ફરીથી લાગુ કરવાની બાબતે કોઈ પણ વિચારણા કરતી નથી તેમ પણ મુખ્યમંત્રીશ્રી એ સ્પષ્ટ કર્યું છે .શ્રી વિજય ભાઈ રૂપાણી એ રાજ્યના સૌ નાગરિકોને આવી અફવાઓ થી ગેરમાર્ગે દોરવાઈ ના જવાની અપીલ કરી છે. મુખ્યમંત્રીશ્રી એ રાજ્યના નાગરિકોને આવી ખોટીઅફવાઓ થી ગેરમાર્ગે ના દોરવાઈ જવાની અપીલ કરતા એમ પણ કહ્યું છે કે 1 જૂન થી અનલૉક થવાને કારણે રાજ્યમાં જન જીવન પૂર્વવત થવા માંડ્યું છે. ઉદ્યોગ ધંધા રોજગાર અને આર્થિક વાણિજ્યિક ગતિવિધિઓ પણ હવે ધબકતી થવા માંડી છે ત્યારે લોક ડાઉન ફરી લાગુ કરવા અંગે રાજ્ય સરકાર ની કોઈ જ વિચારણા નથી.
મુખ્યમંત્રીશ્રી એ એમ પણ જણાવ્યું છે કે કોરોના સાથે કોરોના સામે જીવન જીવવાની સાથે રોજ બરોજની ગતિવિધિઓ હવે સામાન્ય થઈ છે ત્યારે ફરી થી લોક ડાઉન આવશે તેવી ખોટી અફવાઓ થી લોકો ગેરમાર્ગે ન દોરાય તે પણ જરૂરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *