દિવાળી પહેલાં પૂજાથી ભગવાન વિષ્ણુ સાથે લક્ષ્મીજી પણ પ્રસન્ન

આસો મહિનાના વદ પક્ષની એકાદશીએ રમા એકાદશીનું વ્રત કરવામાં આવે છે. દિવાળીના ચાર દિવસ પહેલાં આવતી આ એકાદશીએ ભગવાન વિષ્ણુ સાથે લક્ષ્મીજીના રમા સ્વરૂપની પૂજા કરાય છે. એટલે તેને રમા એકાદશી કહે છે. પદ્મ પુરાણમાં આ વ્રતનું મહત્ત્વ છે. અનેક જગ્યાએ આ દિવસથી જ લક્ષ્મીપૂજાની શરૂઆત થઇ જાય છે અને દિવાળીએ મહાપૂજા કરાય છે. આ એકાદશી વ્રતથી બ્રહ્મહત્યા જેવા મહાપાપ પણ દૂર થઇ જાય છે. આ વર્ષે આ એકાદશી 11 નવેમ્બર, બુધવારે છે. આ વ્રતના પ્રભાવથી બધા પાપ નષ્ટ થઇ જાય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે આ વ્રત સુખ અને સૌભાગ્ય આપનારું માનવામાં આવે છે.

આ એકાદશીનું મહત્ત્વઃ-
પુરાણો પ્રમાણે રમા એકાદશી વ્રતથી કામધેનુ અને ચિંતામણિ સમાન ફળ મળે છે. આ વ્રતને કરવાથી સમૃદ્ધિ અને સંપન્નતા વધે છે. આ વ્રતથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. પદ્મ પુરાણ પ્રમાણે રમા એકાદશી વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પણ મળે છે. જેના પ્રભાવથી દરેક પ્રકારના પાપ દૂર થાય છે. મૃત્યુ પછી વિષ્ણુ લોક મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *