દિવાળીમાં PESO કંપનીના જ ફટાકડાનું વેચાણ કરી શકાશે

અમદાવાદ શહેરમાં પ્રદૂષણ મુદ્દે પેસો કંપની ગ્રીન મંજુરી વાળા ફટાકડા ઓછો અવાજ અને ઓછા પ્રદૂષણ વાળા હોવાની માન્યતા હોવાથી તેને ફોડવાની સૂચના આપવામાં આવી છે. તેમણે એવું પણ કહ્યું હતું કે શહેરમાં મોડી રાત સુધી બજારો ખુલ્લી રહેશે. પેસો કંપની દ્વારા માન્ય ફટાકડા ફોડી શકાશે. જો અન્ય ફટાકડાનું વેચાણ થશે તો જાહેરનામા ભંગનો ગુનો નોંધાશે.અમદાવાદમાં કોરોના કાળની વચ્ચે દિવાળીની ખરીદી માટે બજારોમાં લોકોની ભારે ભીડ થઈ રહી છે. તે ઉપરાંત તહેવારમાં કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે માટે પોલીસ એલર્ટ થઈ ગઈ છે. શહેરમાં ભીડભાડ વાળી જગ્યાઓ પર SRP અને હોમગાર્ડના જવાનોનો બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. છેડતીના બનાવો અટકાવવા માટે પોલીસ ખાનગી ડ્રેસમાં વોચ રાખી રહી છે. તહેવારના દિવસોમાં ચોરી અટકાવવા પોલીસે બંધ મકાન- દુકાનમાં પોલીસ પેટ્રોલીંગ વધારી દેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *