વિરાટની જગ્યાએ રોહિતને ટીમનો કેપ્ટન બનાવો – વોન

વિરાટ કોહલીના તાજેતરમાં આઈપીએલમાં દેખાવને લઈને પૂર્વ ઈંગ્લેન્ડ કેપ્ટન માઈકલ વોને ટવીટ કરતા લખ્યું કે, કોઈ પણ પ્રશ્ન કર્યા વગર રોહિત શર્માને ભારતીય ટી20 ટીમની કેપ્ટનશીપ સોંપી દેવી જોઈએ. તે એક શાનદાર મેન-મૈનચરની સાથે સાથે એક શ્રેષ્ઠ લીડર પણ છે. રોહિતને ખૂબ સારી રીતે ખબર છે કે ટા20 મેચને કેવી રીતે જીતી શકાય. આવું કરવાથી વિરાટ કોહલીને પણ થોડી રાહત મળશે. કોહલી પરનું દબાણ ઘટશે તો તે એક સારા ખેલાડી તરીકે રમી શકશે. મંગળવારે રાત્રે દિલ્હી કેપિટલ્સને પાંચ વિકેટથી હરાવીને મુંબઈ ઈન્ડિયન્સે પાંચમી વખત આઈપીએલના ખિતાબ પર પોતાનો કબ્જો મેળવ્યો હતો. ઈન્ગલેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને તો રોહિત શર્માના વખાણ કરતા કહ્યું કે, વિરાટ કોહલીની જગ્યાએ રોહિત શર્માને ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બનાવી દેવો જોઈએ. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *