રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ ગુજરાતમાં 11 જાન્યુઆરીથી ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ શરૂ કરાઈ છે. ત્યારે ગુજરાતમાં પ્રથમ જોડિયાની હુન્નર સ્કૂલની ધો.12ની વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઈને શિક્ષણ જગતમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે, આ વિદ્યાર્થિની સ્કૂલે ન ગઈ હોવાનું પણ બહાર આવ્યું છે. DEOએ આ સ્કૂલમાં એક અઠવાડિયા સુધી શિક્ષણ કાર્ય બંધ રાખવાનો આદેશ કર્યો છે. વિદ્યાર્થિની સ્કૂલ ગઇ ન હોવા છતાં પણ સ્કૂલમાં એક અઠવાડિયા સુધી શિક્ષણ કાર્ય બંધ રાખવાનો ડીઇઓએ આદેશ કર્યો છે. વિદ્યાર્થિની હોસ્ટેલમાં પ્રવેશ કરે તે પૂર્વે જ તેનો એન્ટીજન ટેસ્ટ પોઝિટિવ આવતા શાળા-હોસ્ટેલ બંધ રાખવા આદેશ કરાયો છે. હાલ વાલીઓમાં બાળકોને શાળાએ કેમ મોકલવા તેવો સવાલ ઉઠ્યો છે. વાલીઓમાં પણ કોરોનેન લઇને ચિંતા જોવા મળી રહી છે.