દેશભરમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને CBSEએ સ્ટૂડન્ટ્સ માટે મહત્વનો અને જરૂરી નિર્ણય કર્યો છે. 4 મેથી શરૂ થનારી 10માં ધોરણની પરીક્ષા રદ કરવામાં આવી છે અને 12માંની પરીક્ષા હાલ પુરતી મોકૂફ રાખી છે. આ અંગે સરકાર 1લી જૂને નિર્ણય કરશે. એક્ઝામ કરાવવાનો નિર્ણય લેવાશે તો છાત્રોને 15 દિવસનો સમય અપાશે હવે પરીક્ષા 15 જૂન પછી જ લેવાશે. CBSEની 10માં અને 12માં બોર્ડની પરીક્ષા 4મેએ યોજાવાની હતી. દિલ્હીના સીએમ કેજરીવાલે માંગ કરી હતી કે પરીક્ષા હાલ સ્થગિત થાય કેમ કે 6 લાખ વિદ્યાર્થીના આરોગ્યનો સવાલ છે. સાથોસાથ ઓલ ઈન્ડિયા સ્ટૂડન્ટ એસોસિએશને પણ 10માં અને 12માંની પરીક્ષા ટાળવાની માગ કરી હતી. આ સંબંધમાં એસોસિએશન તરફથી શિક્ષણ મંત્રાલયને પત્ર લખવામાં આવ્યો હતો. સાથે જ છાત્રોએ સોશિયલ મીડિયા પર #CancelBoardExam2021 કેમ્પેન શરૂ કર્યું હતું. CBSEની બોર્ડ પરીક્ષાઓમાં 10માં અને 12માં મળીને લગભગ 35.81 લાખ સ્ટૂડન્ટ સામેલ થવાના હતા. જેમાં 12માંના 14 લાખથી વધુ અને 10માંના 21.50 લાખ છાત્ર હતા.