અમદાવાદથી દરભંગા જતી જન સાધારણ ટ્રેનમાં એક વ્યકિતનુ શંકાસ્પદ મોત નીપજયુ હતુ. 50 વર્ષિય કોરોના શંકાસ્પદ દર્દી રાકેશ શાહ અમદાવાદથી બિહારના સમસ્તીપુર જવા ટ્રેનના જનરલ કોચમાં મુસાફરી કરતા હતા આ દરમ્યાન કોચમાં તેમનું વડોદરાથી ગોધરા સ્ટેશન વચ્ચે મુત્યુ થયું હતું. ગોધરા રેલવે સ્ટેશન પર ટ્રેનને ઉભી રાખી ગોધરા રેલવેને જાણ કરી હતી. મૃતક મુસાફરના ખિસ્સામાંથી કોરોના બીમારી થઇ હોવાની દવાની ચિઠ્ઠી પણ મળી આવી હતી. ગોધરા રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્ટર RPF. GRP પોલીસની ટીમ ટ્રેનના કોચ ઉપર દોડી આવી હતી. બનાવને પગલે ટ્રેન એક કલાક મોડી ઉપડી હતી. મુસાફરનો મૃતદેહ ટ્રેનમાંથી નીચે ઉતારી 108 ઇમર્જન્સી સેવા દ્વારા ગોધરા સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.