4 લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર તરફથી CM રાહત નિધિ માંથી આપવાની જાહેરાત

મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ ભરૂચ ની કોવીડ હોસ્પિટલ માં સર્જાયેલી આગ ની દુઃખદ ઘટનામાં જાન ગુમાવનારા મૃતકો પ્રત્યે સંવેદના પ્રગટ કરી તેમના પરિવાર જનોને સંત્વના પાઠવી છે. મુખ્યમંત્રીશ્રી એ આ આગ દુઘર્ટના માં જેમના દુઃખદ મૃત્યુ થયા છે તે પ્રત્યેક મૃતકોના વારસ ને 4 લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર તરફથી મુખ્યમંત્રી રાહત નિધિ માંથી આપવાની પણ જાહેરાત કરી છે મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ ભરૂચ કોવિડ હોસ્પિટલની આગ દુર્ઘટનાની તપાસ માટે રાજ્યના બે સિનિયર આઇ એ એસ અધિકારીઓ શ્રમ રોજગાર ના અધિક મુખ્ય સચિવશ્રી વિપુલ મિત્રા અને કમિશનર મ્યુનિસિપાલીટીઝ એડમીનિસ્ત્રેશન રાજકુમાર બેનીવાલ ને ભરૂચ તાત્કાલિક પહોંચવા અને આ ઘટનાની તપાસ કરવા ના આદેશ કર્યા છે. મુખ્યમંત્રીશ્રી એ એમ પણ જણાવ્યું છે કે રાજ્ય સરકાર આ દુર્ઘટના ની ન્યાયિક તપાસ સોંપવાની દિશામાં પણ કાર્યવાહી કરી રહી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *