ટીવી એક્ટર બિક્રમજીત કંવરપાલનું કોરોનાને કારણે અવસાન

દેશભરમાં કોરોના કેસ વધી રહયા છે અને તેને કારણે કેટલીય હસ્તીઓના નિધન પણ થઈ રહ્યા છે કોરોનાના કારણે વધુ એક સેલિબ્રીટીનુ અવસાન થયુ છે. બોલીવૂડ તથા ટીવીના જાણીતા એક્ટર બિક્રમજીત કંવરપાલનું 52 વર્ષની ઉંમરમાં કોરોનાને કારણે અવસાન થયું હતું. ભારતીય સેનામાંથી નિવૃત્ત થયા બાદ 2003માં બિક્રમજીતે એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.બિક્રમજીતનો જન્મ હિમાચલ પ્રદેશમાં આર્મી ઓફિસરના ઘરમાં થયો હતો. 2002માં તેઓ સેનામાંથી રિટાયર્ડ થયા હતા. બોલીવુડની ઘણી ફિલ્મોમાં તેમનો દમદાર રોલ રહ્યો હતો. તેમણે ‘પેજ 3’, ‘રોકેટ સિંહઃ સેલ્સમેન ઓફ ધ યર’, ‘આરક્ષણ’, ‘મર્ડર 2’, ‘2 સ્ટેટ્સ’, ‘ગાઝી અટેક’, ‘પાપ’, ‘અતિથિ તુમ કબ જાઓગે’, ‘હે બેબી’, ‘પ્રેમ રતન ધન પાયો’ જેવી ફિલ્મમાં કામ કર્યું હતું એટલુ જ નહી ટીવી સિરિયલમાં પણ ખાસ્સી લોકચાહના મેળવી હતી. ‘દીયા ઔર બાતી હમ’, ‘યે હૈ ચાહતે’, ‘દિલ હી તો હૈ’ જેવી ટીવી સિરિયલમાં કામ કર્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *