CBSEની 10માં ધોરણની પરીક્ષા રદ,તમામ વિદ્યાર્થીઓ પ્રમોટ,12માંની એક્ઝામ 15 જૂન પછી

દેશભરમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને CBSEએ સ્ટૂડન્ટ્સ માટે મહત્વનો અને જરૂરી નિર્ણય કર્યો છે. 4 મેથી શરૂ થનારી 10માં ધોરણની પરીક્ષા રદ કરવામાં આવી છે અને 12માંની પરીક્ષા હાલ પુરતી મોકૂફ રાખી છે. આ અંગે સરકાર 1લી જૂને નિર્ણય કરશે. એક્ઝામ કરાવવાનો નિર્ણય લેવાશે તો છાત્રોને 15 દિવસનો સમય અપાશે હવે પરીક્ષા 15 જૂન પછી જ લેવાશે. CBSEની 10માં અને 12માં બોર્ડની પરીક્ષા 4મેએ યોજાવાની હતી. દિલ્હીના સીએમ કેજરીવાલે માંગ કરી હતી કે પરીક્ષા હાલ સ્થગિત થાય કેમ કે 6 લાખ વિદ્યાર્થીના આરોગ્યનો સવાલ છે. સાથોસાથ ઓલ ઈન્ડિયા સ્ટૂડન્ટ એસોસિએશને પણ 10માં અને 12માંની પરીક્ષા ટાળવાની માગ કરી હતી. આ સંબંધમાં એસોસિએશન તરફથી શિક્ષણ મંત્રાલયને પત્ર લખવામાં આવ્યો હતો. સાથે જ છાત્રોએ સોશિયલ મીડિયા પર #CancelBoardExam2021 કેમ્પેન શરૂ કર્યું હતું. CBSEની બોર્ડ પરીક્ષાઓમાં 10માં અને 12માં મળીને લગભગ 35.81 લાખ સ્ટૂડન્ટ સામેલ થવાના હતા. જેમાં 12માંના 14 લાખથી વધુ અને 10માંના 21.50 લાખ છાત્ર હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *