સૌરવ ગાંગુલી જરૂરીયાતમંદ લોકોને સહાય કરવા 50 લાખનું દાન કરશે

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી 21 દિવસના લોકડાઉનથી પ્રભાવિત લોકોની મદદ કરવા આગળ આવ્યા છે .સૌરવ ગાંગુલીએ 50 લાખ રુપિયાના દાનની જાહેરાત કરી છે. ગાંગુલીએ 50 લાખ રૂપિયાના ચોખા  દાન આપવાનું વચન આપ્યું છે. બંગાળની ક્રિકેટ એસોસિએશન દ્વારા એક નિવેદનમાં જાહેર કરવામાં આવ્યું છે કે, “ગાંગુલી અને લાલ બાબા રાઈસ કંપની આ સમયે જેમને સૌથી વધુ જરૂર છે, તેમની મદદ કરશે. તેઓ સલામતી અને સુરક્ષા માટે સરકારી શાળાઓમાં મુકાયેલા જરૂરીયાતમંદ લોકોને સહાય પૂરી પાડશે.” ક્રિકેટ બંગાળે વધુ ઉમેરતા કહ્યું કે, “આશા છે કે ગાંગુલીની આ પહેલ રાજ્યના અન્ય નાગરિકોને આપણા રાજ્યની પ્રજાની સેવા માટે સમાન પહેલ કરવા પ્રોત્સાહિત કરશે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *