દરેક ઝૂંપડપટ્ટીના રહેવાસીઓને પાકા મકાન અપાશે- કેજરીવાલ

આગામી 5 વર્ષ લોકોને 200 યુનિટ વીજળી વિના મૂલ્યે મળશે.

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ મોટી જાહેરાત કરી છે. દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યુ કે આગામી 5 વર્ષ લોકોને 200 યુનિટ વીજળી વિના મૂલ્યે મળવાનું જારી રહેશે.દરેક ઘરને 24 કલાક શુદ્ધ પાણી મળશે. કેજરીવાલે કહ્યું છે કે ઘોષણા પત્ર આગામી 10-15 દિવસમાં આવશે. આ અમારું ગેરંટી કાર્ડ છે. અમારા વિકાસની પાક્કી-ગેરન્ટી છે. તેમા કેટલીક વાત એવી છે કે જે અમે પૂરી કરી ચુક્યા છીએ. જે પણ વચન આપવામાં આવી રહ્યા છે તે આગામી 5 વર્ષમાં પૂરા કરશું. કેટલીક ગેરન્ટી ઘણી મોટી છે, માટે 2,3 અથવા તો 5 વર્ષમાં લાગુ કરી શકાશે. મુખ્ય જાહેરાતની વાત કરીએ તો દિલ્હી દેશનું એકમાત્ર એવું શહેર છે કે જ્યાં 24 કલાક વીજળી મળે છે. તે આગળ પણ જળવાઈ રહેશે. 200 યુનિટ વીજળી મફત આપવામાં આવી રહી છે, જ્યાં સુધી કેજરીવાલ છે ત્યાં સુધી વીજળી જારી રહેશે. દિલ્હીમાં અનેક વિસ્તાર એવા છે કે જ્યાં વીજળીના વાયરના ઝૂમખા છે તેને દુર કરીને વીજળીના વાયરને અંડરગ્રાઉન્ડ કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *