વન વિભાગ સ્મશાનોમાં વિનામૂલ્યે લાકડાં પૂરાં પાડશે

વન વિભાગે કરેલા ઠરાવમાં જણાવાયું છે કે સામાન્ય સંજોગોમાં અન્ય રોગો, અકસ્માત અને વૃદ્ધાવસ્થાને કારણે જે મૃત્યુદર નોંધાય છે તેના કરતાં કોરોના મહામારીમાં મૃત્યુદરનું પ્રમાણ વધુ છે. આ સંજોગોમાં મૃતદેહના અગ્નિસંસ્કાર માટે રાજ્યનાં સ્મશાન ગૃહોમાં લાકડાંનો જથ્થો પર્યાપ્ત માત્રામાં ન હોવાની શક્યતા તથા વર્તમાન સ્થિતિને ધ્યાને લેતા ભવિષ્યમાં મૃતદેહોની કોવિડ પ્રોટોકોલ મુજબ અંતિમવિધિ કરવા માટે જલાઉ લાકડાની જરૂરિયાતની શક્યતા છે. આથી સ્મશાનગૃહોમાં લાકડાની અછત ઊભી ન થાય તે માટે વન વિભાગ જલાઉ લાકડાંનો જથ્થો મનપાના મ્યુનિ. કમિશનર કે જિલ્લા કલેક્ટર દ્વારા સ્મશાન ગૃહ માટે માગણી કરાતા 31 જુલાઈ સુધી વિનામૂલ્યે ફાળવાશે. સરકારે અંતિમ સંસ્કાર માટે સ્મશાન ગૃહોને વિનામૂલ્યે લાકડાં ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે. આરોગ્યની સુવિધા મળતી નથી, પરંતુ કોરોનાથી મૃત્યુ પામનારને સરકાર લાકડાંની સુવિધા આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *