દેશના છેલ્લા 4 વરસથી કાયદાની આંટીધુટીમાં ફસાયેલા નિર્ભયા કાંડના ચાર દોષી પૈકી એક અક્ષય ઠાકુરની રિવ્યુ પિટીશન બુઘવારે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. જેને લઈને હવે 4 આરોપીઓ ફાંસીના ફંદા તરફ સરકી રહ્યાં છે આ કેસની સુનાવણી સુપ્રિમ કોર્ટના જસ્ટિસ ભાનુમતિની અધ્યક્ષતા વાળી બેન્ચે કરી હતી .
આ સુનાવણી દરમિયાન આરોપીઓ વતી આ કેસમાં ફાંસીથી બચવા માટે અનેક કારણો આગળ ધર્યાં હતા. દોષી અક્ષયના વકીલે દલીલ કરી હતી કે અક્ષય ગરીબ છે તે માટે તેને અપાઈ રહી છે બીજી તરફ સરકાર વતી એડિશનલ સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતુ કે દોષી કોઇ પણ સહાનુભૂતિનો હકદાર નથી, તેને તાત્કાલિક ફાંસી આપી દેવી જોઇએ. ટ્રાયલ કોર્ટે દરેક દલીલો અને પુરાવાને ચકાસ્યા પછી ફાંસીની સજા સંભળાવી હતી, જેને સુપ્રીમ કોર્ટે માન્ય રાખી છે. આ ગુનો એવો ગંભીર છે જેને ભગવાન પણ માફ ન કરી શકે. આ ગુના માટે માત્ર ફાંસીની સજા જ હોઈ શકે. આવા રાક્ષસોને જન્મ આપીને તો ભગવાનને પણ શરમ આવતી હતી. તેથી આ લોકો પ્રત્યે કોઈ દયા હોવી જ ન જોઈએ. હવે આ કેસમાં આરોપીઓ પાસે હજુ એક કાયદાકીય વિકલ્પ બાકી છે જેલમાં રહીને ફાંસીના ફંદામાંથી કેવી રીતે બચી શકાય તેની પણ તૈયારી આરોપીએ કરી લીધી હતી. આરોપી અક્ષયે ફાંસીથી બચવા વિચિત્ર દલીલો રજૂ કરી હતી જેમાં તેણે દિલ્હીના પ્રદૂષણનો મુદ્દો ઉઠાવીને મોતની સજા સામે સવાલ ઉભા કર્યા હતા તેણે અરજીમાં લખ્યું છે કે, જ્યારે પ્રદૂષણના કારણે જ દિલ્હીમાં લોકોની ઉંમર ઘટી રહી છે ત્યારે મોતની સજા કેમ આપવી જોઈએ. સુપ્રીમ કોર્ટના અરજી ફગાવવાના નિર્ણય પછી દોષી અક્ષયના વકીલે દયાની અરજી કરવા માટે ત્રણ સપ્તાહનો સમય માંગ્યો હતો જે સુપ્રીમ કોર્ટે એક સપ્તાહનો સમય માન્ય રાખ્યો છે. કોર્ટના ચુકાદા પછી અક્ષયના વકીલે કહ્યું-હતુ કે અમે 18 ડિસેમ્બરે ક્યુરેટિવ પિટીશન દાખલ કરીશું. ત્યારપછી રાષ્ટ્રપતિને પણ દયાની અરજી કરીશું. તે માટે અમે કોર્ટ પાસે 3 સપ્તાહનો સમય માંગ્યો હતો પરંતુ કોર્ટે અમને 1 સપ્તાહનો સમય આપ્યો છે. હવે વધુ સુનાવણી 7 જાન્યુઆરીએ હાથ ધરાશે