રિલાયન્સ શરૂ કરશે કોરોના વેક્સીનેશન કાર્યક્રમ R-Surakshaa

દેશમાં વધતા જતા કોરોનાના કેસની સામે હવે વેકસિનેશનનો ચોથો તબક્કો 1 મે થી શરુ થઇ રહ્યો છે. જે અંતર્ગત 18 વર્ષથી વધારે ઉંમરના બધા નાગરિકો વેક્સીનેશન થવા જઈ રહયુ છે. જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે કોરોના વેક્સીનેશન કાર્યક્રમ R-Surakshaaની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટમાં રિલાયન્સના 18 વર્ષથી વધારે ઉંમરના બધા કર્મચારીઓ અને પરિવારના સભ્યોને 1 મે થી મફત વેક્સીન લગાવશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડેના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણી દ્વારા રિલાયન્સ પરિવારના બધા કર્મચારીઓને લખેલા પત્રમાં જણાવ્યું કે સમગ્ર ભારત હાલના સમયે કોરોનાના ગંભીર સંકટ સામે ઝઝુમી રહ્યું છે. આ મહામારીના કારણે દેશના ડોક્ટર્સ અને સ્વાસ્થ્ય કર્મચારીઓ પર દબાણ છે. કોરોના કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આવામાં આપણે વધારે સાવધાની રાખવાની જરૂર છે. રિલાયન્સ ફાઉન્ડેશન અને અન્ય સંસ્થાન કર્મચારીઓના ભલા માટે તેમની સાથે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *