શનિ મંદિરના દર્શનથી દુર થાય છે શનિના દોષ

શનિ મંદિરના દર્શનથી થાય છે શનિના દોષ દુર

શનિવાર સામાન્ય રીતે હનુમાનજી મંદિરના દર્શન માટે ઉત્તમ ગણાય છે અને લાખો ભક્તો શનિવારે હનુમાનજીના દર્શને જતા જ હોય છે પણ સાથેસાથે શનિ મંદિરના દર્શન પણ જરુરી છે 24 જાન્યુઆરીથી શનિ મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે જે અઢી વરસ સુધી શનિ ગોચર રહે છે. તો કેટલાંક જાતકો માટે શનિનો પ્રભાવ અઢી વરસથી લઈને સાડા સાત વરસ સુધી પણ રહેતો હોય છે. ધાર્મિક માન્યતા અનુસાર શનિ મંદિરના દર્શન કરો તો શનિ દોષથી પીડાતા લોકોને મુક્તિ મળે છે અને શનિની આડઅસરથી બચી શકાય છે. અમદાવાદમાં શાહીબાગ અને દુધેશ્વર વિસ્તારમાં શનિ મંદિર આવેલુ છે જયાં લોકો મોટી સંખ્યામાં દર્શને આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *