વલસાડ સ્વામિનારાયણમાં રંગોળી અને અન્નકૂટના દર્શન

વલસાડ તિથલ સ્વામિનારાયણ મંદિરે નૂતન વર્ષ નિમિત્તે દર વર્ષે મંદિરના સંતો અને હરિ ભક્તો દ્વારા કલાત્મક રંગોળી અને અન્નકૂટ ભગવાનને ધરાવ્યો છે . ચાલુ વર્ષે કોરોના મહામારી વચ્ચે કોવિડના તમામ નિયમોનું પાલન કરીને માત્ર 51 વસ્તુઓ તૈયાર કરીને અન્નકૂટ દર્શન હરિ ભક્તો માટે ખુલ્લા મુકાયા હતા વલસાડ સ્વામિનારાયણ મંદિરે હરિ ભક્તોની ભીડ ઓછી થાય અને હરિ ભક્તોને સંક્રમણથી બચાવવા સોશિયલ મીડિયા પર લાઈવ દર્શન કરાવવાની વ્યવસ્થા પણ મંદિર સંચાલકો દ્વારા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં દૂર દૂરથી આવતા હરિ ભક્તોને ઓનલાઇન દર્શન કરવા જણાવ્યું હતું. હરિ ભક્તોએ ઠાકોરજીના ઓનલાઇન દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *