સૌરાષ્ટ્ર-કચ્છમાં એકાએક વાતાવરણમાં પલટો આવતા ઠેર ઠેર વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો જેમાં સાવરકુંડલા, અમરેલી, ભાવનગર, ગારિયાધાર, રાજકોટ અને સુરેન્દ્રનગર પંથકમાં છૂટા-છવાયા ઝાંપટા વરસી ગયા હતા. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના જૂનાગઢ, પોરબંદર, જામનગર, સોમનાથ, દ્વારકા સહિતના વિસ્તારમાં મધ્યમ ગતિએ વરસાદ વરસ્યો હતો. વૈશાખના પ્રારંભે આકરા તાપ આશંકા વચ્ચે કમોસમી વરસાદ વરસતા જનજીવન ચિંતાતૂર બની ગયું છે. ખેડૂતોમાં ઊચાટ ફેલાયો છે. કેરી, મગફળી, મગ, તલ, ચણાના પાકને નુકસાન થવાની ભીતિ છે. જો કે હવામાન વિભાગે, આગામી 48 કલાકમાં રાજકોટ અમરેલી ભાવનગરમાં વરસાર વરસી શકે છે