રાજકોટ અગ્નિકાંડમાં ત્રણ ડોક્ટરની પોલીસે ધરપકડ કરી

રાજકોટના આનંદ બંગલા ચોકમાં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના ICU વોર્ડમાં ગત ગુરૂવારે રાત્રે આગ લાગવાથી કોરોનાના પાંચ દર્દીનાં મોત નીપજ્યા હતા. આ પ્રકરણમાં માલવિયાનગર પોલીસ સ્ટેશનના PI ભૂકણે ફરિયાદી બની ગોકુલ લાઈફ કેર પ્રા.લિ.ના ચેરમેન ડો.પ્રકાશ મોઢા, વિશાલ મોઢા, ડો.તેજસ કરમટા, ડો.તેજસ મોતીવરસ અને ડો.દિગ્વિજયસિંહ જાડેજા સામે આઇપીસી 304-અ તેમજ 114 હેઠળ ગુનો નોંધ્યો હતોઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડમાં પોલીસે અટકાયત કરેલા ત્રણેય આરોપીઓના કોરોનાનો RT-PCR રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ડો.પ્રકાશ મોઢા, ડો.વિશાલ મોઢા અને ડો. તેજસ કરમટાનો કોરોનાનો RT-PCR રિપોર્ટ નેગેટિવ આવતા તાલુકા પોલીસે ત્રણેયની ધરપકડ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *