દુનિયામાં ઘણા લોકો એવા છે કે પાંચ રુપિયાનુ દાન આપે તો પણ ફોટા પડાવીને જાણે કે લાખો રુપિયા આપી દીધા હોય તેવા પ્રસિધ્ધિમાં માને છે અને કેટલાંક લોકો એવા પણ છે જે દેશ માટે, રાજય માટે, ગરીબ દુખી, જરુરિયાત મંદ માટે પોતાની જાત ઘસી નાખે, લાખો રુપિયાની ગુપ્ત મદદ કરે તો પણ પ્રસિધ્ધિમાં માનતા નથી. અહી વાત એક એવા યુવાનની છે જેના માટે દેશ સેવા અને દુખી, જરુરિયાતમંદ લોકોની સેવા એ જ સૌથી મોટો ધર્મ છે.
અમદાવાદના મેઘાણીનગરમાં રહેતા અને શ્યામ પ્લાયવુડના નામે વ્યવસાય કરતાં ભૂપેન્દ્ર પટેલનુ નામ કેટલાક લોકો માટે નવુ હશે તો ભાજપ, આરએસએસ અને જરુરિયાત મંદો માટે જૂનુ.. ભૂપેન્દ્ર પટેલની પ્રવૃતિની વાત કરીએ હાલમાં અમદાવાદની 1200 બેડની સિવિલ તેમનુ મુખ્યસેવા કેન્દ્રનુ સ્થાન બની ગયુ છે. દિવસ રાત આવતી 108ની એમ્બ્યુલન્સ, મોટી સંખ્યામાં આવતા દર્દીઓ અને તેમના પરિવારજનોને જલ્દીથી કેવી રીતે રાહત મળે , દુર દુરથી ખાનગી વાહનોમાં આવતા દર્દીઓ સિવિલ મેડીસીટી કોરોના વોર્ડમાં જલ્દીથી દાખલ થાય તેની ચિંતામાં કાર્યરત છે. તમામ લોકોને ખાવા-પીવાની ચીજવસ્તુથી લઈને દર્દીઓના પરિવારજનોને પણ કોઈ પણ જાતની તકલીફ ના પડે તેની તકેદારી રાખી રહયા છે. વોર્ડમા પણ કોઈ પરિવારજનોને પોતાના દર્દીઓના હાલ જાણવા હોય તો પણ ભૂપેન્દ્ર પટેલ તાત્કાલિક હાજર થઈને ખબર અંતર પુછી જાણ છે. અત્યારે કોરોનાની ભયંકર સ્થિતિમા લોકો સિવિલથી દુર ભાગવાનુ પસંદ કરતા હોય છે ત્યારે આ નવયુવાન ભૂપેન્દ્ર પટેલ ચોવીસ કલાસ દર્દીઓ અને પરિવારજનો વચ્ચે રહીને તેમની સેવા કરવાનુ કામ કરી રહયા છે. કોરોના શરુ થયો ત્યારથી લઈને અત્યાર સુધી અનેક લોકોને તેમણે નિસ્વાર્થ મદદ કરી છે અને હજુ પણ કરી રહયા છે .
દિવસ હોય કે રાત પણ દુખી-જરુરિયાતમંદ લોકોનુ હિત જ તેઓ સર્વોપરિ માને છે. સૌથી મહત્વની વાત તો એ છે કે કેટલીય વાર દર્દીઓ અવસાન બાદ તેમને શબવાહિની પણ મળતી નથી તો પણ તમામ પ્રકારની વ્યવસ્થા જાતે જ કરી આપે છે. ભૂતકાળની વાત કરીએ તો ભૂપેન્દ્ પટેલ દ્રારા સમાજ અને લોકોના હક્ક માટે હમેશા પોતાના જાનની પરવા કર્યા વગર પોતાની ફરજ બજાવી છે…દેશભકિતના કાર્યક્રમો હોય કે ગુજરાતમાં આવેલી કુદરતી આપત્તિ હોય. તમામ સ્થળે મદદ માટે હમેશા તત્પર રહયા છે. ગુજરાતમાં 26 જાન્યુઆરી 2001ના રોજ આવેલા વિનાશક ભૂંકપમાં પણ તેઓ જાતે કચ્છ જીલ્લામાં દોડી ગયા હતા અને ભોગ બનનારાઓ લોકોને તન મન ધનથી મદદ કરી હતી.