ભરુચમાં 6 વર્ષના બાળકનું અપહરણ કરી હત્યા કરી નાંખી

ભરૂચના વાગરા તાલુકાના વડદલા ગામે રહેતાં મુકાદમે 6 વરસના બાળકનુ અપહરણ કરીને તેની હત્યા કરી નાખી હોવાનો બનાવ સામે આવ્યો છે પોલીસે હત્યારા મિથુનકુમાર રામપ્રસાદ કેવટને ઝડપીને પુછપરછ શરુ કરી છે. મુકાદમના 6 વર્ષના પુત્રને મિથુન અપહરણ કરી લઇ ગયો હતો. બાદમાં નજીકમાં આવેલાં એક અવાવરૂ ફ્લેટમાં તેને લઇ જઇ તેનું ગળુ દબાવી દીધું હતું. ગુમ બાળકની હત્યા કરવાના પગલે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને બાળકના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે જો કે બાળક સાથે કોઈ અઘટિત કૃત્ય આચરાયુ છે કે કેમ તેની હાલમાં મેડીકલ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *