ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહયા છે. સાથોસાથ મૃત્યુ આંક પણ વધી રહયો છે જેમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા અનેક પોલીસ કર્મીના નિધન થયા છે. ભાવનગર રેન્જ પોલીસ દ્રારા સદગત પોલીસ કર્મીને શ્રધ્ધાંજલિ અપાઈ હતી. ૧.PI આર.આર.તિવારી, ગાંધીનગર ૨. ASI વિક્રમસિંહ બળવંતસિંહ બારિયા, દાહોદ ૩. ASI રામસમુજ તિવારી, અમદાવાદ ૪. ASI કાળુસિંહ ગોપાળસિંહ પટેલીયા, વલસાડ ૫. ગોવિંદભાઇ મફાભાઇ, વડોદરાનાઓનું કોવીડ 19 ના કારણે અવસાન થયા હતા જેમને ભાવનગર રેન્જ પોલીસ દ્વારા શ્રધ્ધાન્જલી આપવામાં આવી હતી.