ભારતીય ક્રિકેટના મહાનાયક ધોનીની સાથે ઓલરાઉન્ડર સુરેશ રૈનાએ પણ નિવૃત્તિની જાહેરાત કરી છે . ઓલરાઉન્ડર સુરેશ રૈનાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, “મેં અને એમએસ ધોનીએ અગાઉથી જ નક્કી કરી લીધું હતું કે અમે શનિવારે 15 ઓગસ્ટે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરીશું. માહીનો જર્સી નંબર 7 અને મારો 3 છે. બંનેને સાથે રાખીએ તો 73. અને આપણી આઝાદીને 73 વર્ષ પૂરા થયા હતા. તેથી અમે વિચાર્યું નિવૃત્તિ લેવાનો આનાથી સારો દિવસ હોઈ ન શકે.”રૈનાએ કહ્યું, ધોનીએ કરિયરની શરૂઆત 23 ડિસેમ્બર 2004ના રોજ બાંગ્લાદેશ સામે કરી હતી, જ્યારે મેં 30 જુલાઈ 2005ના રોજ શ્રીલંકા સામે કરી હતી. અમે લગભગ સાથે જ ઇન્ટરનેશનલ લેવલે રમવાનું ચાલુ કર્યું, IPLમાં જોડે રમ્યા, નિવૃત્તિ સાથે લીધી અને આવનારા સમયમાં CSK માટે પણ ભેગા રમતા રહીશું. રૈનાએ વધુમાં કહ્યું કે, નિવૃત્તિ જાહેર કર્યા પછી અમે ભેટીને ખૂબ રડ્યા હતા.