રાજકોટમાં ઈર્ષાની આગમાં જેઠાણીએ માસુમની કરી હત્યા

પોતાના જ ભત્રીજાની હત્યા કરનારી જેઠાણી પારુલ ડોબરિયા

રાજકોટમાં માનવ સંબંધોને શર્મશાર કરતી ઘટનાઓ છેલ્લા કેટલાય દિવસથી બની રહી છે જેમાં સંબંધોની હત્યાઓની આખી વણઝાર ચાલી રહી છે. રાજકોટ શહેરમાં ઈર્ષાની આગમાં ભડભડ સળગતી સગી જેઠાણીએ પોતાની જ દેરાણીના 3 વર્ષના ભત્રીજાનુ અપહરણ કરીને હત્યા કરી નાંખી છે. જો કે ભક્તિનગર પોલીસે ગણતરીના કલાકોમાં આ હત્યાનો ભેદ ઉકેલીને કાતિલ જેઠાણી પારુલ ડોબરિયાની ધરપકડ કરી લીધી છે. શહેરના કોઠારિયા રોડ પર આવેલા મહેશ્વરી સોસાયટીમાં રહેતી જેઠાણી પારુલ વશરામ ડોબરીયાએ ત્રણ વર્ષના ભત્રીજા ખુશાલનું આંગણવાડીમાંથી અપહરણ કરી લીધુ હતુ બાદમાં તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. બાદમાં ચાલાક જેઠાણીએ ખુશાલને મૃતદેહને કોથળામાં નાંખી રસ્તા પર ફેંકી દીધો હતો. આંગણવાડીમાંથી ખુશાલ પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી આખરે ના મળતા ભક્તિનગર પોલીસને જાણ કરતાં સમગ્ર બનાવ પ્રકાશમા આવ્યો હતો ભકિતનગર પોલીસે આરોપી જેઠાણીની પૂછપરછ કરતા માહીતી બહાર આવી કે જેઠાણી પારુલને પણ 3 વર્ષનો દિકરો છે અને તેની દેરાણીને પણ જોકે પરિવારમાં પોતાના પુત્રને કોઈ મહત્વ ન આપતા હોવાથી ઇર્ષ્યામાં તેણે આ કામ કર્યું છે. સવારે 3 વર્ષનો ખુશાલ આંગણવાડીમાં ગયો ત્યારે તેનુ અપહરણ કરી લીધુ હતુ બાદમાં ઠંડા કલેજે આવેશમાં આવીને તેની હત્યા કરી નાંખી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *