તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નટુકાકાનું પાત્ર ભજવનાર ઘનશ્યામ નાયક ફરીવાર ટીવી પરદે કામ કરતા દેખાશે. સાત સપ્ટેમ્બરના રોજ ઘનશ્યામ નાયકનું ગળાનું ઓપરેશન કરીને આઠ ગાંઠો કાઢી હતી તેમની સતત સારવાર બાદ હવે તેમની તબિયત સુધારા પર છે. તેઓ હવે ફરી એક વાર ‘તારક મહેતા..’ના સેટ પર પરત ફરવા ઈચ્છે છે. નટુકાકાએ કહ્યું હતું કે કીમોથેરપીથી લઈ રેડિયેશન સહિતની તમામ સારવાર પૂરી થઈ ગઈ છે અને હવે તે એકદમ ઠીક છે. ઓપરેશનને કારણે નટુકાકા ઘણાં વીક થઈ ગયા છે. ‘હવે હું પૂરી રીતે ફિટ થઈ ગયો છું. મારા શરીરના કોઈ પણ ભાગમાં કોઈ પ્રોબ્લેમ નથી. બસ હવે હું મારા પ્રોડ્યૂસર તથા ડિરેક્ટર બોલાવે તેની રાહ જોઈ રહ્યો છું. હું શોનું શૂટિંગ તથા ટીમ મેમ્બર્સને ઘણાં જ યાદ કરું છું. .