સલાયાનાં જહાજમાં આગ લાગી -ક્રૂ મેમ્બરોનો આબાદ બચાવ

માંડવીના સલાયાનું વહાણ દુબઇથી જનરલ કાર્ગો ભરીને સુદાન જતા પહેલા ઓમાનના મોશીશ પાસેના દરિયામાં જહાજમાં રહેલા એક કન્ટેનરમાં અચાનક આગ લાગતા જોત જોતામાં જહાજ આગની લપેટમાં આવી ગયું હતું. આખુ જહાજ આગમાં સ્વાહા થઇ ગયુ હતું. જેમાં આઠ ક્રુમેમ્બરો સમુદ્રમાં કુદી પડતા તમામને સ્થાનિક માછીમારી કરતા લોકો દ્વારા બચાવી લેવાયા હતા. જનરલ કાર્ગો ભરીને અલ જાવેદ એમ એન. વી. 2105 જહાજ સુદાન પોર્ટ જવા નીકળ્યું હતું. 3 જાન્યુઆરીના ઓમાનના મશીશ પાસ પહોંચતા જહાજમાં રખાયેલા કન્ટેનરમાં કોઇપણ કારણોથી આગ લાગી જતા પવનની તેજ ગતિના કારણોથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આઠ ક્રુમેમ્બરો પોતાની જાન બચાવાવ માટે સમુદ્રમાં કુદી પડયા હતા. ત્યાં સ્થાનિકે માછીમારી કરતા લોકો આઠેય ક્રુમેમ્બરોને પોતાની બોટમાં બચાવીને ઓમાનના જીપ્સ પોર્ટ ખાતે મરીન પોલીસને રક્ષણ હેઠળ રખાયા હતા. કચ્છી વહાણવટા એસોસિએશનના પ્રમુખ આદમ સિધિક થૈમ (ભોલુશેઠ)ની માલિકીનો અલજાવેદ જહાજ આગની લપેટમાં આવી જતા જહાજ આખું બળીને ખાખ થઇ ગયું હતું. જેમાના કેપ્ટન કરીમ નુરમામદ ડોસાણી, મોહશીન આદમ જાફરાણી, ચવાણ અબ્દુલ સુલેમાન શુભણીયા, સીધીક મામદ, ગોહીલ જાવેદ હુશેન, મામદ ઓસમાણ, સકીલ અબ્બાસ ભટ્ટી, અનવર અલીમામદ જુણેજા (રહે. તમામ) માંડવી સલાયાના ક્રુમેમ્બરોનો આબાદ બચાવ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *