અમદાવાદના સાબરમતી પોલીસે લૂંટના ગુનામાં પકડેલા 17 વર્ષના સગીરનું ભેદી રીતે મોત થતા ચકચાર મચી છે હાલમાં સગીરના મૃતદેહને સિવિલમા પીએમ અર્થે મોકલી આપ્યો છે.
બાળ સરક્ષંણ ગૃહમાં રખાયેલા સગીરને અચાનક પેટ અને છાતીમાં દુખાવો શરુ થયો હતો જેથી ઈમરજન્સી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. બીજી તરફ પરિવારજનોએ મોતને લઈ આશંકા વ્યક્ત કરી છે અને જવાબ દાર સામે ગુનો ન નોધાય ત્યાં સુધી સગીરનો મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી છે. અમદાવાદના નવરંગપુરામાં મોનાર્ચ ફો રેક્સ પ્રા.લિ. કંપનીના કર્મીઓ સાથે 11 લાખની લૂંટના કેસમાં પોલીસે એક સગીર સહિત ચાર આરોપી ને પકડયા હતા જેમાં પકડાયેલા આરોપીને નિયમ અનુસાર ખાનપુરમાં આવેલા બાળ સરંક્ષણ ગૃહમાં મોકલી આપ્યો હતો. જેનુ સોમવારે સવારે મોત નિપજ્યું હતું. આ અંગે શાહપુર પોલીસે અકસ્માત મોત અંગે ગુનો નોંધી સગીરનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો.